Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કાશ્મીરમાં આતંકવાદ માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જવાબદાર :રામ માધવના આકરા પ્રહાર

બંને પાર્ટીઓએ કાશ્મીરમાં આતંકવાદનું બી વાવ્યુ

નવી દિલ્હી :ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કાશ્મીરમાં આતંકવાદને લઈને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને જવાબદાર ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો હતોકે, આ બંને પાર્ટીઓએ કાશ્મીરમાં આતંકવાદનું બી વાવ્યુ છે અને પાકિસ્તાને તે પરિસ્થિતીનો ફાયદો ઉઠાવ્યો છે

   તેમણે કાશ્મીરની સમસ્યાઓ માટે નહેરુ ઉપર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુકે, ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સાંસદમાં જે કહ્યુ તે ઐતિહાસિક સત્ય છે.

  માધવને કહ્યુકે, કાશ્મીરમાં સમસ્યાઓ નહેરુનાં સમયમાં સ્વતંત્ર ભારત સરકારની પહેલી નીતિઓને કારણે છે. તેમણે કહ્યુકે, તેને કારણે જમ્મૂ અને કાશ્મીરને અલગ કરવાની માંગે જન્મ લીધો છે. જમ્મૂ-કાશ્મીરની સમસ્યા માટે કોંગ્રેસે જવાબદારી લેવી જોઈએ.

(6:33 pm IST)