Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મુંબઇના કાંદિવલી ઇસ્ટમાં ૯મા ધોરણની વિદ્યાર્થીની હર્ષિકા માયાવંતીનો ૮મા માળેથી કુદીને આપઘાતઃ મોતની છલાંગ લગાવી તે પહેલા લોકોઅે વારંવાર વિનંતી કરી

મુંબઇઃ મુંબઇમાં ધો.૯ની વિદ્યાર્થીનીઅે ૮મા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

કાંદિવલી (ઇસ્ટ) ખાતે આવેલા ઠાકુર વિલેજની બહુમાળી ઇમારતના 8મા માળથી 14 વર્ષની ટીનેજર છોકરીએ કુદીને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં લોકો આ છોકરીને આત્મહત્યા ન કરવા માટે વારંવાર વિનવણી કરી રહ્યા હતા પણ આખરે છોકરીએ મોતની છલાંગ મારી લીધી હતી.

આ મૃતકાની ઓળખ હર્ષિકા માયાવંતી તરીકે થઈ છે અને તે ઠાકુર વિલેજના ગાર્ડનિયા બિલ્ડિંગની રહેવાસી હતી. હર્ષિકાના પરિવારમાં માતા-પિતા અને 10 વર્ષની નાની બહેનનો સમાવેશ થાય છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ છોકરીએ ઓર્કિડ ટાવરના 8મા માળથી કૂદીને સુસાઇડ કર્યું છે. આ ઇમારત તે જ્યાં રહેતી હતી એ બિલ્ડિંગની બાજુમાં જ આવેલી છે. 

હર્ષિકાને આત્મહત્યાના પ્રયાસ પછી તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હર્ષિકા કાંદિવલીના ગુંડેચા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં નવમા ધોરણમાં અ્ભ્યાસ કરતી હતી. હાલમાં પરિવાર ભારે આઘાતમાં છે. આ આત્મહત્યા પાછળના કોઈ નક્કર કારણની ખબર નથી પડી અને પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

(6:18 pm IST)