Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ચીનમાં ફસાયેલા ૨૦ ભારતીયોને મદદ કરવા સુષ્‍મા સ્‍વરાજે આપી ખાતરી

નવી દિલ્‍હી :. વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજે ચીનમાં ફસાયેલા ૨૦ ભારતીયોને મદદ કરવા તૈયારી દર્શાવી છે, આ યાત્રી પોતાના ગ્રુપ ટૂર વિઝા ગુમ થવાના કારણે ત્‍યાં ફસાઈ ગયા છે. કૌટીલ્‍ય બંસલ નામના એક વ્‍યકિતએ સુષ્‍માને ટ્‍વીટર પર એક બાળકી સહિત ૨૦ ભારતીયની મદદ કરવા અનુરોધ કર્યો હતો. સુષ્‍માએ આના જવાબમાં બીઝીંગ સ્‍થિત ભારતીય દુતાવાસને જણાવ્‍યુ હતુ કે બનતી મદદ કરો. દુતાવાસ પણ આ નાગરીકોને પુરેપુરી મદદ કરવા તૈયાર છે કે જેથી તેઓ ભારત આવી શકે

(10:12 am IST)