Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભાજપે મનોહર પર્રિકરનાં પુત્રને ના આપી ટિકિટ :પણજીની પેટાચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુંકોલિએંકર ઉમેદવાર

કર્ણાટકમાં ચિંચોલીથી અવિનાશ જાધવને અને કુંડગોલથી એસઆઇ ચિક્કાનગોદરને મેદાનમાં ઉતાર્યા

ભારતીય જનતા પાર્ટીએ પણજીમાં 19 મેનાં રોજ પેટાચૂંટણી માટે મનોહર પાર્રિકરના પુત્રને ટિકિટ આપી નથી પરંતુ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુંકોલિએંકરને ઉમેદવાર બનાવ્યા છે આ સીટથી ગોવાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકર મુખ્યમંત્રી હતા, જેનો 17 માર્ચને નિધન થઇ ગયું હતું. તેનાં નિધનનાં કારણે આ સીટ ખાલી થઇ હતી, જેના પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે

    એવી અટકળો લગાવાઇ રહી હતી કે પર્રિકરનાં પુત્ર ઉત્પલને ટિકિટ આપવામાં આવશે. ભાજપની વેબસાઇટ પર સિદ્ધાર્થને ટિકિટ આપવા અંગે નિવેદને તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. આ સાથે જ ભાજપે કર્ણાટકમાં બે સીટો માટે યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણી માટે પાર્ટીનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ચિંચોલીથી અવિનાશ જાધવને અને કુંડગોલથી એસઆઇ ચિક્કાનગોદરને મેદાનમાં ઉતાર્યા છે. 

(10:30 pm IST)