Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

૬૦ દિવસમાં અંબાણી-અદાણીનું માર્કેટકેપ અબજો રૂપિયા ઘટયું

નવી દિલ્હી : વિશ્વભરના શેર બજારોમાં કડાકો બોલી ગયો તે સાથે જ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ નોંધપાત્ર પ્રમાણમાં સંપતિ ગુમાવી ચૂકયા હતા. લગભગ છેલ્લા બે મહિના દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીઓને માર્કેટઅપ ૧૧૪૭૬૬ કરોડ ઘટી ગયું હતું જાન્યુઆરીના પ્રારંભે તેમનું માર્કેટઅપ ૯૫૭૦૨૯ કરોડ હતું. માત્ર છેલ્લા ૧૧ દિવસમાં જ રિલાયન્સને ૫૩૭૦૬ કરોડનું નુકસાન થયું છે. તેવી જ રીતે તાતા જૂથના માર્કેટઅપમાં ૮૫૪૭૨ કરોડનો કડાકો બોલી ગયો હતો. તાતાનું માર્કેટકેપ જાન્યુઆરીમાં ૯૪૪૫૮૩ કરોડ હતું જે ૨૮ ફેબ્રુઆરીએ ઘટીને ૮૫૯૧૧૧ કરોડનું થયું હતું. તાતાને ૪૧૯૩૦ કરોડનું નુકસાન થયું હતું અદાણી જૂથનું માર્કેટઅપ ૨૮૮૪૮ કરોડ ઘટ્યું હતું.

(11:08 am IST)