Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

" દિલ્હી હિંસા " : ભારતની ધાર્મિક આઝાદી વિષે બેજવાબદાર નિવેદનો કરતા વિદેશી સંગઠનોને વખોડી કાઢતા વિદેશ મંત્રાલય પ્રવક્તા રવીશકુમાર

ન્યુદિલ્હી : ભારતના નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં હિંસા ફેલાવી પ્રજાને બાનમાં લેતા તોફાની તત્વોના બચાવમાં ધાર્મિક આઝાદીનો ઓથ લઇ ઝેર ઓકતા વિદેશી સંગઠનોને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારએ વખોડી કાઢ્યા છે.
તેમણે જણાવ્યું છે કે આવા બેજવાબદાર તથા ભેદભાવ ઉત્પન્ન કરતા નિવેદનો કરનારા વિદેશી સંગઠનો પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે.તથા ભારતની શાંતિ ડહોળી રહ્યા છે તેમના આવા નિવેદનોથી નહીં ભરમાવા  રવીશકુમારે અનુરોધ કર્યો છે.

(10:34 am IST)