Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સનું ખાતમૂર્હત : પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ:

 રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી  ડોક્ટર હર્ષવર્ધન  તેમજ  રાજ્ય આરોગ્ય મંત્રી  અશ્વિની  કુમાર ચૌબે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત  એમ્સ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ એમ્સના ડિરેક્ટરશ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે

(9:28 pm IST)