Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમે જ્યાં સુધી જીવીત છીએ ત્યાં સુધી સંઘ ઉપર પ્રતિબંધ નહીં લગાવી શકાય : ઉમા ભારતી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને કેન્દ્રીય મંત્રીનું નિવેદન

ઇન્દોર : મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં સરકારી કર્મચારીઓને જીવાની રોક લગાવવાના કોંગ્રેસના ચૂૂંટણી ઢંઢેરાને લઇને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ સંઘ પ્રત્યે સમર્થન આપતા જણાવેલ કે સંઘ ઉપર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ લગાવી ન શકાય કેમકે આ સંગઠન એક વિચારધારા રૂપે મારા જેવા કેટલાયના મનમાં વસેલું છે. તેમણે વધુમાં ઉમેરેલ કે જ્યાં સુધી અમે લોકો જીવિત છીએ ત્યાં સુધી સંઘ ઉપર પ્રતિબંધ નહીં લગાવી શકાય. તેમણે રાહુલ ગાંધીને એવા નેતા કહ્યા કે જેમાં ગંભીરતાનો ઘોર અભાવ છે.

(3:46 pm IST)