Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મ. પ્રદેશમાં આઇડી કાર્ડ વગર ગરબા સ્‍થળે પ્રવેશ નહીં અપાય

લવ જેહાદ અટકાવવા આઇડી કાર્ડ તપાસવું જરૂરી : મંત્રી ઉષા

ભોપાલ,તા. ૨૮ : મધ્‍ય પ્રદેશમાં નવરાત્રીના ગરબા રમવા જનારા લોકો માટે ગરબા સ્‍થળે પ્રવેશ માટે આધારકાર્ડ કે અન્‍ય આઇડી કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્‍યું છે. આઇડી કાર્ડને તપાસ કર્યા બાદ જ ગરબા સ્‍થળ પર પ્રવેશ આપવામાં આવશે. મધ્‍ય પ્રદેશના મંત્રીએ લવ જેહાદનો આરોપ લગાવ્‍યો તે બાદ સરકારે આ નિયમ ફરજિયાત કરી દીધો છે.

મધ્‍ય પ્રદેશના રાજયકક્ષાના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્‍યું હતું કે નવરાત્રી અને મા દૂર્ગાની પૂજા આપણા માટે શ્રદ્ધાની બાબત છે.

આ પ્રકારના ધાર્મિક ઉત્‍સવો સમયે શાંતિ અને એકતા જળવાઇ રહે તે હેતુથી ગરબા આયોજકોને આદેશ અપાયો છે કે ગરબા સ્‍થળે આઇડી કાર્ડ તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે. ગરબા સ્‍થળે કોઇ અસામાન્‍ય ઘટના ન બને તે હેતુથી આઇડી કાર્ડની તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે.

આ પહેલા આઠમી સપ્‍ટેમ્‍બરના રોજ મધ્‍ય પ્રદેશના સંસ્‍કૃતિ મંત્રી ઉશા ઠાકુરે દાવો કર્યો હતો કે લવ જેહાદને રોકવા માટે ગરબા સ્‍થળે આધાર કાર્ડ કે અન્‍ય આઇડી તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવો જોઇએ. હિન્‍દુ સંગઠનો અવાર નવાર દાવા કરતા આવ્‍યા છે કે નવરાત્રી સમયે ગરબા સ્‍થળોએ હિન્‍દુ યુવતીઓને લલચાવવામાં આવે છે અને બાદમાં તેમનું ધર્માંતરણ કરાવવામાં આવે છે.

(10:37 am IST)