Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

વારાણસી ઉપર ઘાતક હુમલાનું ષડયંત્ર

વડાપ્રધાન મોદીના મતક્ષેત્ર એવાઃ તોયબા વેરની આગમાં સળગે છેઃ ત્રાસવાદીઓએ રેકી પણ કરેલી છે

નવી દિલ્હી તા. ર૮ :.. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ હાફીઝ સઇદ ઉપર ભૂત સવાર થયું છે. તે હવે બદલો લેવા ભારતમાં મોટા ત્રાસવાદી હૂમલાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા સમાચાર મુજબ લશ્કરએ-તોયબાની નજર પી. એમ. મોદીના મતક્ષેત્ર વારાણસી ઉપર છે. રિપોર્ટ મુજબ તોયબા ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યું છે. એટલુ જ નહિ તે વારાણસીમાં પોતાનું બેઇઝ       બતાવવા પણ માંગે છે. મળતા સમાચારો મુજબ તોયબાના ત્રાસવાદીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક વખત વારાણસીની મુલાકાત લીધી છે ઉમર મદની નામના ત્રાસવાદીએ નેપાળી મુળના બીજા આતંકી સાથે મે મહિનામાં ૩ દિવસ વારાણસીમાં રોકાઇ તે તોયબાનું નેટવર્ક મજબુત કરવા પ્રયાસ કર્યો તો જેથી મોટો હૂમલો કરી શકાય.

ઉમર મદની તોયબાનો ભરતીકાર છે તે યુવાનોને સંગઠનમાં જોડી રહયો છે. તે ૭ થી ૧૧ મે સુધી મુસાફીર ખાનામાં રોકાયા હતો અને તે ઘણાને મળ્યો પણ હતો.

(11:42 am IST)