Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક જવાનનું અપહરણ : આતંકીઓ ઉઠાવી ગયા હોવાનો પરિવારનો દાવો

શ્રીનગર તા. ૨૮ : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક જવાનનું અપહરણ કર્યું છે. પરિવારનો દાવો છે કે ગઇકાલે રાતે કાશ્મીરના ત્રાલમાંથી આતંકી તેને ઉઠાવીને લઇ ગયા હતાં. હજી સુધી જવાનની કોઇ ખબર મળી નથી. આ જવાનનું નામ મુદાસિર એહમદ છે. આ જવાન અવંતિપુરાના રાશિપુરામાં તૈનાત હતો.

આ અંગે પોલીસનું કહેવું છે કે મુદાસિરની અપહરણની ખબર સાચી છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ગત થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા સુરક્ષાદળોના જવાનોનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે પુલવામાના ત્રાલ નિવાસી મુદાસિરના અપહરણની ઘટના સામે આવી છે. આ જવાન રાશિપુરા ચોકીમાં ખાવાનું બનાવવાનું કામ કરતો હતો.

ગત રાતે આતંકી મુદાસિર એહમદને ત્રાલથી અપહરણ કરવામાં આવ્યું છે. પરિવારે જણાવ્યું કે કાલે રાતે મુદાસિર એહમદની કોઇ ખબર મળી નથી રહી. આ પહેલા પણ આતંકીઓએ શોપિયાથી પોલીસ કર્મી જાવેદ એહમદ ડારનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે પછી તેમનો મૃતદેહ કુલગામમાંથી મળ્યો હતો. ડારની હત્યાની જવાબદારી હિઝબુલ મુઝાહિદ્દિને લીધી હતી.

આતંકીઓએ ગત મહિને સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું અને તેમની પણ હત્યા કરી દેવામાં આવી હતી. જયારે તે ઇદની રજાઓ માણવા ઘરે જઇ રહ્યાં હતાં ત્યારે રસ્તામાંથી જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી ૧૪ જૂનની સાંજે તેમનો મૃતદેહ પુલવામા જિલ્લામાંથી મળ્યો હતો.(૨૧.૨૭)

(3:58 pm IST)