Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યુપી : ઓવૈસી બગાડશે અખિલેશનો ખેલ ? ૧૦૦ સીટ પર ઉમેદવાર ઉતારશે

ઓવૈસીના નિર્ણયથી સમાજવાદી પાર્ટીનું મુસ્લિમ -યાદવ સમીકરણ બગડે તેવી વકી

હૈદરાબાદ,તા.૨૮:  બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યા બાદ હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમિન (AIMIM)ની નજર હવે ઉત્ત્।ર પ્રદેશ પર છે. રવિવારે પાર્ટીએ જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ સીટ પર લડવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે તેઓ ઓમપ્રકાશ રાજભરની આગેવાનીવાળી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને નાના પક્ષોના ગઠબંધન ભાદીદારી સંકલ્પ મોરચા સાથે મળીને ચૂંટણી લડશે. ઓવૈસીના આ નિર્ણયથી સમાજવાદી પાર્ટીનું મુસ્લિમ-યાદવ (MY) સમીકરણ બગડે તેવું કહેવામાં આવી રહ્યું છે.

હૈદરાબાદના સાંસદે હિન્દીમાં ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. ઓવૈસી સામાન્ય રીતે અંગ્રેજીમાં સોશિયલ મીડિયા પર મેસેજ આપે છે. ઓવૈસીએ ટ્વિટ કર્યું કે, 'અમે ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભાના સંબંધમાં ૧૦૦ બેઠકો પર અમારા ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવારના આવેદનપત્ર પણ બહાર પાડ્યા છે.'

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, 'અમે ઓ.પી. રાજભર સાહેબ ભાગીદરી સંકલ્પ મોરચાની સાથે છીએ. અમારી કોઈ પાર્ટી સાથે ચૂંટણી અથવા ગઠબંધનના સંબંધમાં વાતચીત થઈ નથી.' આવતા વર્ષે ઉત્ત્।ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જણાવી દઈએ કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમએ ૨૦ બેઠકો લડી હતી અને પાંચ બેઠકો જીતી હતી.

અસદુદ્દીન ઓવૈસીના યુપીના યુદ્ઘમાં પ્રવેશ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આનાથી અખિલેશ યાદવનું મુસ્લિમ-યાદવ સમીકરણન બગડી શકે છે. મુસ્લિમ વોટબેંક પર સમાજવાદી પાર્ટીનો ઘણો પ્રભાવ છે. યુપીમાં સપા મુસ્લિમ અને યાદવ સમીકરણની મદદથી સત્ત્।ા પર આવી રહી છે. હવે આગામી સમય જ કહેશે કે ૧૦૦ બેઠકો પર AIMIM ઉમેદવારો ઉભા કરવાથી સપાની મુસ્લિમ વોટ બેંક પર કેટલી અસર પડશે.

(10:11 am IST)