Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

રાહુલ ગાંધીની વ્યથા: પરાજય બાદ મુખ્યમંત્રી,મહામંત્રી કે પ્રદેશ અધ્યક્ષે જવાબદારી લઈ રાજીનામુ આપ્યું નથી

યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામુ નહિ આપવા રજૂઆત કરતા રાહુલે વ્યથા ઠાલવી

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યુ કે, આજ નહીં તો આવતી કાલે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે અને દેશની જનતા માટે મજબૂતાઈથી લડાઈ લડવામાં આવશે.

 રાહુલ ગાંધીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યુ કે, મારા રાજીનામાની રજૂઆત બાદ કોઈપણ મુખ્યમંત્રી, મહાસચિવ કે પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી લઈને રાજીનામું આપ્યુ નથી. રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે રાહુલ ગાંધીના નિવાસ સ્થાન બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું ન આપવાની રજૂઆત કરી હતી.

(8:53 am IST)