Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વરસાદ પડતા અટકાવી દેવાયેલી અમરનાથ યાત્રા ફરીથી શરૂ

જમ્મુ: ગઈકાલથી શરૂ થયેલી અમરનાથ યાત્રા દરમિયાન રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બાલતાલ તથા પહલગામ ના માર્ગો લપસણા થઇ જવાથી યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી જે આજ ગુરુવાર સાંજથી ફરી પાછી ચાલુ કરી દેવાઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જો કે હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

   વરસાદ છતાં ઘણા તીર્થયાત્રીઓ નુનવાં પહલગામ બેઝ કેમ્પથી ચંદનવાડી માટે રવાના થયા છે. પારંપરિક માર્ગોથી જનારા તીર્થયાત્રીઓના વાહનો માટે ચંદનવાડી છેલ્લો પડાવ છે. જમ્મુના બેઝ કેમ્પથી મહિલાઓ, બાળકો અને સાધુઓ સહિત આશરે 3000 તીર્થયાત્રીઓનું જૂથ બુધવારે સાંદે નુનવાં પહલગામ અને બાલટાલ આવી ગયું હતું

(7:40 pm IST)