Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

નૈરોબીની બજારમાં આગ લગતા 15 લોકો ભડથું :મધરાત્રે આગથી 50થી વધુ લોકોને ઇજા

ગિકોમ્બ બજારમાં આગ લગતા અનેક સંપત્તિઓને નુકશાન :દાઝી ગયેલાઓને હોસ્પિટલમાં ખસેડાયા

કેન્યાની રાજધાની નૈરોબીના બજારમાં આગ લાગવાથી 15થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.મધરાત્રીએ લાગેલી આ આગમાં 50થી વધારે લોકોને ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે, આ ઉપરાંત અનેક સંપત્તિઓને પણ નુકસાન થયું છે.

 સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે, શહેરના મોટાં બજારોમાંથી ગિકોમ્બા એક છે અને અહીં વારંવાર આગ લાગતી હોય છે.કેટલાક લોકોનું મૃત્યુ આગમાં દાઝી જવાથી થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકોનું મૃત્યુ ધુમાડામાં ગૂંગળાઈ જવાથી થયું છે.દાઝી ગયેલાં લોકોને સારવાર અર્થે વિસ્તારની કેટલીક હૉસ્પિટલોમાં ખસેડાયા છે.

(3:43 pm IST)