Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રેલ્‍વેના પાટા ઉખેડવા અલકાયદા ઘડે છે ષડયંત્રઃ તંત્ર એલર્ટ

અલકાયદાના મેગેઝીનમાં પાટા ઉખેડી નાખવાનો નુસ્‍ખો જણાવાતા રેલ્‍વે સતર્ક

નવી દિલ્‍હી, તા. ૨૮ :. આતંકવાદી સંગઠન અલકાયદાના એક મેગેઝીનમાં રેલ્‍વેના પાટા ઉખેડવા માટે જરૂરી સાધનો ઘરે જ બનાવવાની રીત અંગેની માહિતી આપવામાં આવતા રેલ્‍વે તંત્ર એલર્ટ બની ગયુ છે. રેલ્‍વે એ પોતાના કર્મચારીઓને સાવચેત રહેવા જણાવાયુ છે. જો કે રેલ્‍વેએ કહ્યુ છે કે, અત્‍યારે પાટા ઉખેડવા અંગે કોઈ ત્રાસવાદી સંગઠને ધમકી આપી નથી.રેલ્‍વેના કહેવા મુજબ અમે કર્મચારીઓને એલર્ટ રહેવા માટે ગયા મહિને જ પત્ર લખ્‍યો હતો. રેલ્‍વેના દિલ્‍હી ડિવીઝન તરફથી જારી ૨૨ જૂનના આદેશમાં જણાવાયુ છે કે, સીઆરપીએફના એક અધિકારીના ગુપ્‍ત રીપોર્ટમાં જણાવાયુ છે કે, અલકાયદાએ પોતાના મેગેઝીનમાં રેલ્‍વેના પાટા ઉખેડવાનું સાધન ઘરમાં જ તૈયાર કરવાની રીત અને રેલ્‍વેને પાટા પરથી કઈ રીતે નીચે ઉતારી શકાય તેની માહિતી આપી છે. આ આધાર પર રેલ્‍વે અધિકારીઓને જણાવાયુ છે કે, તેઓ ટ્રેન ચલાવનાર રનીંગ સ્‍ટાફનું કાઉનસીલીંગ કરે. ટ્રેન ચલાવતી વખતે સતર્કતા રાખે અને ટ્રેક પર નજર રાખતા જાય. કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ દેખાય તો ઈમરજન્‍સી બ્રેક લગાવો અને કંટ્રોલ રૂમને માહિતી આપો.(૨-૮)

(11:51 am IST)