Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભારે વરસાદથી બાલટ્રેક ખરાબ ;અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ

શ્રદ્ધાળુઓને પોતાના કેમ્પમાં ચાલ્યા જવા સૂચના અપાઈ

જમ્મુ :અમરનાથ યાત્રાને આ વખતે ભારે વરસાદને કારણે અસ્થાઈ રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. આ યાત્રા બુધવારે શરૂ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ રવાના થયા હતા પરંતુ ભારે વરસાદને કારણે આ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે ભારે વરસાદથી બાલટાલ ટ્રેક ખરાબ થતા અમરનાથ યાત્રા રોકવામાં આવી  બધા શ્રધ્ધાળુઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના કેમ્પમાં ચાલ્યા જાય કારણકે બાલટાલ ટ્રેક ઘણો ખરાબ થઈ જવાથી યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

 

 

(11:31 am IST)