Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વડોદરા ભાજપના ત્રણેય ધારાસભ્યો હાઇકમાન્ડ સમક્ષ ઘા નાખશે

સી,કે રાઉલજી બાદ મધુ શ્રી વાસ્તવ, કેતન ઈમાનદાર, યોગેશ નારાજ

 

અમદાવાદ ;કોંગ્રેસના ધારાસભ્યોમાં નારાજગી સામે આવ્યા બાદ ભાજપના ધારાસભ્યોમાં પણ નારાજગી બહાર આવી છે આજે વડોદરાના ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં બેઠક કરીને પોતપોતાની નારાજગી વ્યક્ત કરી છે અને બેઠક બાદ ત્રણેય ધારાસભ્યો હાઈકમાન્ડની રજૂઆતનો નિર્ણય લઈ શકે છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના ત્રણેય ધારાસભ્યોએ હાલમાં તો અધિકારીઓ અને મંત્રીઓની અવગણનાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.. મધુ શ્રિ વાસ્તવ, કેતન ઈમાનદાર, યોગેશ નારાજ થયા છે. તો અગાઉ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી પણ પોતાની નારાજગી સરકાર સમક્ષ વ્યકત કરી હતી.

 

(12:00 am IST)