Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભાજપના ધારાસભ્યોની નારાજગી બહાર આવતા મોવડીઓ ચોંક્યા : મનાવવાની જવાબદારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ

વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યોની નારાજગી બહાર આવી છે  કોંગ્રેસના કકળાટ બાદ ભાજપના ધારાસભ્યોની નારાજગી બહાર આવતા મોવડીઓ  ચોકી ઉઠયા છે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સાવલીના ધારાસભ્ય કેતન નામદાર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે બેઠક કરી ચર્ચા કરી છે  જોકે આ ધારાસભ્યોએ દાવો કર્યો છે કે તેઓ પક્ષથી નહીં, પરંતુ અધિકારીઓથી નારાજ છે. અધિકારીઓ તેમની વાત નહીં સાંભળતા હોવાનો અને તેમના કામો નહીં થતા હોવાનો દાવો કર્યો છે.દરમિયાન નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સરકારના સિનિયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ છે ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ નારાજ ધારાસભ્યોની વાત વ્યથા સાંભળશે તેમ મનાય છે

(12:00 am IST)