Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

અધિકારીઓ નહિ માને તો અમને મનાવતા આવડે છે : ત્રણ છીએ આગામી સમયમાં 13 થશે : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર

અમારે કોઇ પાર્ટી સામે વિરોધ નથી પરંતુ અધિકારીઓનો અમારો વિરોધ છે

 

વડોદરા ;વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યોમાં નારાજગી બહાર આવી છે ત્રણેય ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં બેઠક કરીને પોતપોતાની નારાજગી વ્યક્ત કરી છે પ્રજાકીય કામો થતા નહીં હોવાનો બળાપો કાઢ્યો છે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના જણાવ્યા પ્રમાણે વારંવાર ગ્રામ્ય અધિકારીઓ અને સચિવ કક્ષાએ રજૂઆત કરતા હોવા છતાં તેઓ ગંભીરતાથી નથી લેતા. સરકાર અંગે કાર્યશીલ છે. અધિકારીઓને એવું લાગે છે કે, એમને કોઇ કહેનારા કોઇ નથી. ગાંધીનગરના અધિકારો અમારુ માનતા.

 

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 36 ગામોનું લિપઇરીગેશનના કામોને ગંભીરતાથી નથી લેતા. અમને અમારી સરકાર ઉપર અને અમારા પક્ષ ઉપર વિશ્વાસ છે. અધિકારીઓ જો નહીં માને તો અમને માનાવતા આવડે છે.

   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ચાર મહિનાની સિઝન હોય છે. પરંતુ અધિકારીઓને એમની ગંભીરતા નથી. આજે ત્રણ છીએ આગામી સમયમાં 13 થશે. અમારા ધારાસભ્યો વતીથી અમારી નારાજગી છે. અમારે કોઇ પાર્ટી સામે વિરોધ નથી પરંતુ અધિકારીઓનો અમારો વિરોધ છે. અધિકારીઓ પ્રજા પ્રતિનિધની વાતને સમજે, પ્રજા વચ્ચે રહેતા નેતાઓને સમજે. કારણે કોઇ કામ થાય ત્યારે લોકો સીધા અધિકારીઓ પાસે નથી. લોકો સીધા સ્થાનિક નેતાઓ પાસે જતી હોય છે.

 

(12:00 am IST)