Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

પ્રશ્નોના નિરાકરણ માટે 'ઉપર 'સુધી રજૂઆત કરશું : પરિણામ નહિ આવે તો અધિકારીઓ સામે આંદોલન

વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ અને માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે આપી ચીમકી

વડોદરાના ભાજપના માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને અમારા વિસ્તારોના સ્થાનિક પ્રશ્નો ઉપર અધિકારીઓ માનતા નથી. આગામી ચૂંટણીમાં બહુમતથી જીતવી છે. પરંતુ સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો પ્રજા અમને મત નહીં આપે. એટલા માટે જે અધિકારીઓ અમારુ નથી સાંભળતા તેમના સામે વિરોધ છે. આ ઉપરાંત વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે પ્રજા વચ્ચે રહ્યા છીએ પ્રજાએ અમને ચૂંટ્યા છે. પરંતુ અમારા કામો એએસઆઈ, પીએસઆઈ જેવા અધિકારીઓ કામ કરતા નથી. અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો અમે ઉપર સુધી રજૂઆત કરીશું. આમ છતાં પણ કંઇ પરિણામ નહીં આવે તો અમે પ્રજાને સાથે રાખીને અધિકારીઓ સામે આંદોલન પણ કરીશું.

(12:00 am IST)