Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉત્તર પ્રદેશઃ બુલંદ શહરમાં મંદિરમાં સૂઇ રહેલ બે સાધુઓની બેરહમીથી હત્યા પર પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને ઘેરી

લખનૌઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યૂપીમાં લોકડાઉન દરમ્યાન વધતા અપરાધ પર યોગી સરકારને ઘેરી એમણે કહ્યું કે એપ્રીલના પ્રથમ ૧પ દિવસમાં યૂપીમાં સો લોકોની હત્યા થઇ ગઇ. ત્રણ દિવસ પહેલા એટામાં પચોરી પરિવારના લોકોના શબ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મળ્યા છે. કોઇ નથી જાણતું એમની સાથે શું થયું. આજ બુલંદ શહરમાં એક મંદિરમાં સૂઇ રહેલા બે સાધુઓની બેરહમીથી મોતને ઘાટ ઉતારી દીધા.

એમણે આગળ કહ્યું આવા જધન્ય અપરાધોની ઉંડાઇથી તપાસ થવી જોઇએ અને સમય કોઇને પણ મામલાની રાજનીતિકરણ કરવી જોઇએ. નિષ્પક્ષ તપાસ કરી સત્ય પ્રદેશ સમક્ષ લાવવું જોઇએ. સરકારની જવાબદારી છે.

(11:19 pm IST)