Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોવિદ-19 : ખાડી દેશોમાં ફસાયેલા હજારો ભારતીયોને સ્વદેશ પરત લવાશે

દુબઇ : કોરોના વાઇરસને કારણે વિશ્વના દેશોમાં ઠપ્પ થઇ ગયેલા કામધંધાઓને કારણે ખાડી દેશોમાં રોજી રોટી કમાવા તથા મજૂરી કરવા ગયેલા હજારો ભારતીયો બેરોજગાર બની ગયા છે.તેઓ સ્થાનિક ભારતીય દૂતાવાસ સમક્ષ અવાર નવાર રજૂઆતો કરી તેમને સ્વદેશ પરત ફરવાની સગવડ કરી આપવા વિનંતી કરી રહ્યા છે.
આ સંજોગોમાં ભારત સરકાર એર ઇન્ડિયા તથા ભારતીય નૌસેના સાથે વાટાઘાટ કરી રહી છે.જેઓને આ માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.જોકે આ ભારતીયોને પરત લાવવાનો ખર્ચ કોણ ભોગવે તે બાબત હજુ નિશ્ચિત થઇ શકી નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:26 pm IST)