-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
આને કહેવાય બરાબરની કઠણાઇ
કોરોનાથી બચ્યો તો ટીબીમાં મર્યો : ઝારખંડના યુવાનનું અમદાવાદમાં મૃત્યુ
અમદાવાદ, તા. ર૮ : કોરોના વાયરસ સામે લોકડાઉન દરમ્યાન ઝારખંડનો એક યુવક પરવેઝ અંસારી કોરોનાથી તો બચી ગયો પણ ટીબી તેના માટે યમરાજ બની ગયો. રાંચી પાસેના ઇટકીનો રહીશ પરવેઝ છેલ્લા દસ મહિનાથી અમદાવાદની એક ફેકટરીમાં કામ કરતો હતો.
લોકડાઉન દરમ્યાન તેની પાસે કોઇ કામ નહોતું રહ્યું. ૧૯ વર્ષના પરવેઝને ટીબીની બિમારી હતી. લોકડાઉનમાં આ રોગે તેની હાલત વધારે ખરાબ કરી દીધી. કોરોનાના સંકટકાળમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા પરવેઝની હાલત બગડી હતી. તેને સીવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યાં તેનો કોરોનાનો રિપોર્ટ પણ કરાવાયો હતો જે નેગેટીવ આવ્યો હતો, પણ ગયા ગુરૂવારે તેનું ટીબીના કારણે મૃત્યુ થયું હતું.
થોડા દિવસ પહેલા પરવેઝે એક એનજીઓ મારફતે પોતાના ભાઇ તૌહીદને વીડીયો કોલ કર્યો હતો, ત્યારે તેણે બધી પરિસ્થિતિ જણાવી હતી. તૌહિદે આક્ષેપ કર્યો છે કે પરવેઝને સીવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં ત્રણ દિવસ સુધી ભૂખ્યો રખાયો હતો. તૌહિદે જણાવ્યું કે વીડીયો જોયા પછી તેણે ઝારખંડ પ્રશાસનને મદદ માટે આજીજી કરી, પછી અમદાવાદ પોલીસે એકશન લઇને તેને તાત્કાલિક સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.