Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોનાની સ્થિતી સામાન્ય થયા બાદ CBSCની પરીક્ષાની કાર્યવાહી

માનવ સંસાધન વિકાસમંત્રીએ છાત્રો-વાલીઓ સાથેની વિડીયો કોન્ફોરસીંગમાં નિર્ણય કર્યો

નવી દિલ્હી,તા.૨૮ : કોરોનાને લીધે હાલની પરિસ્થિતી જ્યારે સામાન્ય થશે ત્યારે CBSC પરીક્ષા યોજાશે.

માનવ સંશાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાએ વીડીયો કોન્ફરન્સ હતા છાત્રો સાથે વાર્તાલાપ કર્યા હતો.

મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા CBSC ની બોર્ડની બાકી રહેલી પરીક્ષા અંગે ચિંતિત હતા. તેના સવાલોના જવાબમાં માનવ સંશોધન વિકાસ મંત્રીએ કહ્યુ કે લોકડાઉન ખુલશે અને બાદમાં તેની સ્થિતી સામાન્ય કર્યા બાદ CBSC બોર્ડની પરીક્ષાની કાર્યવાહી કરવામાં આવશે

ત્યારે NCERTના પુસ્તકો શાળાઓમાં પહોંચવાના પ્રશ્ન અંગે જણાવ્યુ કે કેન્દ્ર સરકારે પુસ્તકોની દુકાનોને સમયબધ્ધ ખોલવાનો નિર્દેશ આપ્યો છે.

(3:25 pm IST)