News of Tuesday, 28th April 2020
રાજકોટ તા. ૨૮ : શહેરમાં આજે કોરોના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારના ૭ અને સહકાર સોસાયટીનાં રહેવાસીનો-૧ મળી કુલ ૮ નવા કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ તમામ કેસ અગાઉના કોરોના પોઝીટીવ કેસનાં સંપર્કમાં આવેલા અને સમરસ હોસ્ટેલના સરકારી કોરન્ટાઇનમાં રહેલા લોકોનાં છે જે મોટાભાગે એકબીજાના નજીકનાં સગા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે તા. ૨૮ના આજે આવેલ રીપોર્ટ અનુસાર કવોરોન્ટાઈન કરાયેલા વ્યકિતઓમાંથી આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓના નામ (૧) સાહિલ બ્લોચ (ઉ.વ.૧૬) (દિલદારભાઇ બ્લોચનો પુત્ર) રહે. જંગલેશ્વર શેરી નં. ૨૪, (૨) બોદુ રઝાક ઓડિયા ઉ.વ. ૧૮ (જીલુબેન ઓડિયાનો પુત્ર) રહે.- જંગલેશ્વર શેરી નં.- ૨૬, (૩) પરસોતમભાઈ અકબરી ઉ.વ. ૭૫ (રવિભાઈ અકબરીના પિતા) રહે.- કૃશ્યિત સોસાયટી શેરી નં. – ૩, (૪) આદિલ હુસેન પતાણી ઉ.વ. ૧૦ (નુરમામદ પતાણીનો પૌત્ર) રહે.- જંગલેશ્વર, (૫) મેહબુબ ઝીકર ચોપડા ઉ.વ. ૩૫ (ઝીકર ચોપડાનો પુત્ર), રહે.- જંગલેશ્વર, (૬) ફારૂક ઝીકર ચોપડા ઉ.વ. ૨૭ (ઝીકર ચોપડાનો પુત્ર), રહે.- જંગલેશ્વર, (૭) યુસુફ મુડસ ઉ.વ. ૪૫ (નસીમ યુસુફ મુડસના પતિ), રહે.- લેવા પટેલ – ૧, જંગલેશ્વર અને (૮) સાહિલ યુસુફ મુડસ ઉ.વ. ૧૯ (નસીમ યુસુફ મુડસનો પુત્ર) રહે.- લેવા પટેલ -૧, જંગલેશ્વર ખાતે રહે છે. આ તમામ વ્યકિતઓ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.
ઙ્ગહાલ જંગલેશ્વર વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે તેના કોન્ટેકટને આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસીલીટીઙ્ગ ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવે છે. આનો મુખ્યત્વે હેતુ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ચેપ લાગવાની અંત્યંત શકયતા હોય અને આ લોકો દ્વારા કોમ્યુનિટીમાં અન્ય લોકોને ચેપ ફેલાવવાની શકયતા હોય અગ્રીમતાના ધોરણે કવોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવેલ છે. પરીણામે કોન્ટેકટ દ્વારા અન્ય લોકોને ચેપ ફેલાતો અટકાવી શકાય છે.
ઙ્ગગઈ કાલે સમરસમાંથી ૯ પૈકી ૨ પોઝીટીવ આવેલ છે. જેમાં અગાઉ કોરોના પોઝીટીવ દીલદારભાઇ બ્લોચના માતા ફરીદાબેન અને પુત્ર સોહિલને પણ કોરોના પોઝીટીવનું નિદાન થયું છે. આજ સવારના સમરસ હોસ્ટેલમાંથી ૫૭ લીધેલ કવોરેન્ટાઇન સેમ્પલમાંથી ૭ પોઝીટીવ આવેલ છે.
આજના કુલ ૮ નવા કેસ સાથે રાજકોટ શહેર અને જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૫૬ કેસ નોંધાયા છે.
આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીની યાદી
(૧) સાહિલ બ્લોચ ઉ.વ.૧૬ રહે. જંગલેશ્વર શેરી નં. ૨૪
(૨) બોદુ રઝાક ઓડિયા ઉ.વ. ૧૮ રહે. જંગલેશ્વર શેરી નં.- ૨૬
(૩) પરસોતમભાઈ અકબરી ઉ.વ. ૭૫ રહે. કૃશ્યિત સોસા. શેરી નં.૩,
(૪) આદિલ હુસેન પતાણી ઉ.વ. ૧૦ રહે. જંગલેશ્વર
(૫) મેહબુબ ઝીકર ચોપડા ઉ.વ. ૩૫ રહે. જંગલેશ્વર
(૬) ફારૂક ઝીકર ચોપડા ઉ.વ. ૨૭ રહે. જંગલેશ્વર
(૭) યુસુફ મુડસ ઉ.વ. ૪૫ રહે. લેવા પટેલ – ૧, જંગલેશ્વર
(૮) સાહિલ યુસુફ મુડસ ઉ.વ. ૧૯ રહે. લેવા પટેલ -૧, જંગલેશ્વર