Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મધ્યપ્રદેશના રાયસેનમાં પોલીસકર્મીઓને ભોજન પહોંચાડતા ટીફીન સેન્ટરના માલીકનું કોરોનાથી મોતઃ ખળભળાટ

રાયસેનઃ મધ્યપ્રદેશમાં કોરોનાનો પ્રકોપ છે. સંક્રમણથી પોલીસ અધિકારી, કર્મચારીઓના મોત થયા છે. ત્યારે રાયસેનમાં જયાંથી પોલીસ કર્મીઓને ભોજનનું ટીફીન આવતુ તે ટીફીન સેન્ટરના માલીકનું કોરોનાથી મોત થતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. રાયસેનમાં ટીફીન સેન્ટર ચલાવતા અમિત અગ્રવાલ અને તેના ભાઇનું મોત થયું છે. જેમાં અમિતના રિપોર્ટ પોઝીટીવ આવેલ અને નાના ભાઇના રીપોર્ટ બાકી છે. તેના આખા પરિવારને કવોરન્ટાઇન કરાયું છે. ઉપરાંત એસપી મોનીકા શુકલાએ ૪૮ પોલીસકર્મી અને ૯ જેટલા ટીફીન પહોંચાડનારને પણ કવોરન્ટાઇન કર્યા  છે. રાયસેનમાં કુલ ૨૭ લોકો કોરોના પોઝીટીવ છે.

(11:32 am IST)