Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓના સાજા થવાનો દર ૨૨ ટકાથી વધારેઃ અત્યાર સુધી ૬૧૮૪ લોકો સ્વસ્થ થયા

નવી દિલ્લીઃ દેશમા કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે. પણ વચ્ચે એક સારા સમાચાર છે કે બિમારીથી સાજા થવાના દરમા સતત વધારો થયો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલએ એક સંવાદદાતા સંમેલનમાં જાણકારી આપી.

છેલ્લા એક દિવસમાં ૩૮૧ લોકો સાજા થયા છે. જેથી સાજા થવાવાળા લોકોની સંખ્યા વધીને ૨૭૮૯૨ થઇ છે ભારતમા વિદેશી નાગરિકો સહિત કોરોના વાયરસ મહામારીથી સંક્રમિત થવા વાળાની સંખ્યા વધીને ૨૭૮૯ર થઇ ગઇ અમારો રીકવરી રેટ ૨૨.૧૭ ટા થઇ ગયો છે. અમારો રીકવરી રેટ વધી રહ્યો છે..

(12:00 am IST)