Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઇન્ડોનેશિયામાં જુલાઈ માસથી જનજીવન સામાન્ય થઇ જશે : જૂન મહિનાથી કોરોના કેસમાં ઘટાડો શરૂ થવામાં : કોવિદ -19 ટાસ્ક ફોર્સ ચીફ ડોની મોનાર્ડનો આશાવાદ

જાકાર્તા : ઇન્ડોનેશિયામાં જુલાઈ માસથી જનજીવન સામાન્ય થઇ જશે તથા  જૂન મહિનાથી કોરોના કેસમાં ઘટાડો શરૂ થઇ જશે તેવો આશાવાદ  કોવિદ -19 ટાસ્ક ફોર્સ ચીફ ડોની મોનાર્ડ એ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ચોથો ક્રમાંક ધરાવતા આ દેશમાં અત્યાર સુધીમાં 9096 કોરોના સંક્રમિત લોકો નોંધાયા છે.જે સાઉથઇસ્ટ એશિયાના સિંગાપોર પછીના બીજા ક્રમે છે.તથા 765 લોકોના આ વાઇરસથી મૃત્યુ થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.

(7:13 pm IST)