Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

કર્ણાટકમાં ચુંટણી પ્રચારનો જામતો રંગઃ અમીતભાઇનું બે રેલીને સંબોધન

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ આજે કર્ણાટકમાં બે રેલીને સંબોધન કર્યું હતુ. રેલીને સંબોધન કરતા પહેલા અમીતભાઇએ કુંડાલા સાંગ્મા સ્થિત બસવેશ્વર એકય સ્થળ ખાતે પુજા કરી હતી. ત્યારબાદ તેમણે હુંગુંડા ધારાસભાની બેઠકને સંબોધન કર્યુ હતુ. જયારે બપોરે ૩:૩૦ વાગ્યે હોનાવાડા ખાતે પણ જંગી જનમેદનીને સંબોધી હતી. ત્યાર બાદ તેમણે પાંચ વાગ્યે હોટલ ગોદાવરી થી સિધ્ધેશ્વરા મંદીર સુધી રોડ શો કર્યો હતો.  ગઇકાલે અમીતભાઇએ બેલ્લારી જિલ્લામાં પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.  સુત્રોના જણાવ્યા મુજબ અમીતભાઇ ખનન માફીયા રેડ્ડી બંધુઓ સાથે મંચ ઉપર હાજર રહેવા માંગતા ન હતા. બંધુઓના ૭ જેટલા સગા-સંબધીઓને ટીકીટઆપવાથી ભાજપના ઘણાં નેતાઓ ખફા થયા હોવાનું પણ સુત્રોએ જણાવેલ  (૪૦.૧૧)

(2:38 pm IST)