Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

વિજયભાઈ રૂપાણી તથા ભાજપ શ્રેષ્ઠીઓ દ્વારા પંજાબમાં ‘આપ'ના સાંસદ સુશીલકુમાર રીંકુ, ધારાસભ્‍ય શીતલ અગ્રવાલ અને પરનીત કૌર સહિતનાનું ભાજપમાં સ્‍વાગત

રાજકોટઃ જલંધર ‘આપ' ના સાંસદ સુશીલકુમાર રીંકુ, જલંધરના આપ ના ધારાસભ્‍ય શીતલ અગ્રવાલ અને સુ.શ્રી પરનીત કૌર તાજેતરમાં ભાજપમાં જોડાયેલ, જેઓનું આજે ચંદીગઢ ખાતેના ભાજપ કાર્યાલય ખાતે સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ. ઉપરાંત આજ રોજ પઠાણકોટ, પટીયાલા અને ડેરાબસી જિલ્લાના કોંગ્રેસ અને આપના અસંખ્‍ય હોદ્દેદારો - કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયેલ જેઓનું સ્‍વાગત પંજાબ - ચાંદીગઢના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપ શ્રેષ્ઠીઓએ કરેલ.

(4:04 pm IST)