Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સુરેન્‍દ્રનગરનાં જીલ ખોખરાનો મૃતદેહ એર ઇન્‍ડિયા કંપનીએ અજાણી વ્‍યકિતને સોંપી દેતા પરિવારજનોનો આક્રોશ

નવી દિલ્‍હી તા.૨૮: એર ઇન્‍ડિયાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓસ્‍ટ્રેલીયાથી આવેલ સુરેન્‍દ્રનગરનાં જીલ ખોખરાનો મૃતદેહ અન્‍ય વ્‍યકિતને સોંપી દેતા ભારે આક્રોશ ફેલાયો છે. મુળ સુરેન્‍દ્રનગરના જીલ ખોખરાનું ૧૭ માર્ચના રોજ અકસ્‍માતમાં નિધન થયુ હતું. પરિવારજનો જીલનો મૃતદેહ લેવા એરપોર્ટ જતા એર ઇન્‍ડિયાની બેદરકારી આવી સામે, હજુ પણ ડેડબોડી કયાં છે તે અંગે એર ઇન્‍ડિયા અજાણ છે. ગઇકાલે અજાણી વ્‍યકિતને ડેડબોડી સોંપી દેવાઇ છે. મુંબઇથી એક કંપનીએ મંગાવેલા પાર્ટ્‍સની જગ્‍યાએ ડેડબોડી સોંપી દેવાઇ છે. એર ઇન્‍ડિયાએ તમામ દોષનો ટોપલો ઓથોરિટી પર નાખ્‍યો છે. ડી.જી.સી.એ. અને એ.એ.આઇ.ને કડક પગલાં લેવા પરિજનોની માંગ છે.

(3:57 pm IST)