Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

આવી ક્રૂરતા! દિલ્હીમાં ગટરોમાંથી મૃતદેહો મળી રહ્યાં છેઃ IBના કર્મચારી બાદ અન્યની ૨ લાશો મળી

નવી દિલ્હી, તા.૨૮: નાગરિકતા કાયદાના વિવાદની આડમાં તોફાની તત્વો ક્રૂર બની ગયા છે, દિલ્હીમાં ગટરોમાંથી હવે મૃતદેહો મળી રહ્યાં છે, આઇબીનાં કર્મચારી અંકિત શર્માની લાશ પણ નાળામાંથી મળી હતી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમને ક્રૂર રીતે હથિયારના ઘા મારીને મારી નાખવામાં આવ્યાં હતા, હવે ગોકુલપુરીના ગંગાવિહાર જંકશન પાસેનાં નાળામાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યાં છે, જેમને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે, હજુ સુધી આ બે વ્યકિતઓની ઓળખ થઇ નથી.

નાળામાંથી મૃતદેહો મળ્યાં પછી પોલીસ દ્વારા આ વિસ્તારના નાળા અને ગટરોમાં તપાસ હાથ ધરાઇ છે, આશંકા છે કે તોફાની તત્વોએ હજુ પણ અન્ય લોકોની હત્યાઓ કરીને તેમની લાશો ગટર, નાળાઓમાં ફેંકી દીધી છે, દિલ્હીનાં આ વિસ્તારમાં કેટલાક લોકો લાપત્તા છે, આશંકા છે કે તેમની પણ પોલીસકર્મીની જેમ ક્રૂર હત્યા કરી નાખવામાં આવી હોય, જેને લઇને હવે દિલ્હી પોલીસ એલર્ટ બની છે.

(3:39 pm IST)