Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સીએએના વિરોધમાં ધરણા સ્થળે હાઇવે ઉપર જ નમાઝ પઢવા મામલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ૨૦ છાત્રો સહિત ૬૦૦ના ટોળા સામે ગુન્હો

અલીગઢ તા. ૨૮ : સીએએ વિરોધમાં મુરાદાબાદ હાઇવે ઉપર રવિવારથી જ ધરણા ચાલી રહ્યા છે. તેમાં બુધવારે ધરણા સ્થળે તંબૂ નાખવા બાબતે પોલીસ સાથે માથાકુટ થઇ હતી જે પછી ધરણા સ્થળે લોકોની ભીડ વધી જતા સાંજે ટ્રાફિકજામ કરી દેવાતા રાત્રિના બાંગ પોકારાતા લોકો રસ્તા ઉપર નમાઝ પઢવા બેસી ગયા હતા જે અંગે પોલીસે એએમયુના ૧૮ વિદ્યાર્થી સહિત ૨૦ સામે નામજોગ અને ૬૦૦ લોકોના ટોળા સામે ગુન્હો દાખલ કર્યો છે.

(12:48 pm IST)