Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ડેટા વગર નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહી

અનામતની શરતોને હળવી કરવાનો ઇન્કાર કર્યો : રાજ્ય સરકારોએ પહેલા ડેટા દ્વારા સાબિત કરવું પડશે કે લ્ઘ્/લ્વ્નું પ્રતિનિધિત્વ ઓછું છ સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં લ્ઘ્/લ્વ્ માટે પ્રમોશનમાં અનામત મુદ્દે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૨૮ :  સુપ્રીમ કોર્ટે રોજ સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (લ્ઘ્) અને અનુસૂચિત જનજાતિ (લ્વ્) માટે પ્રમોશનમાં અનામત મુદ્દે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લ્ઘ્/લ્વ્ માટે અનામતની શરતોને હળવી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડેટા વિના નોકરીમાં પ્રમોશનમાં અનામત આપી શકાય નહીં.

પ્રમોશનમાં અનામત આપતા પહેલાં રાજય સરકારોએ ડેટા દ્વારા સાબિત કરવું પડશે કે લ્ઘ્/લ્વ્નું પ્રતિનિધિત્વ ઓછું છે. સમીક્ષાનો સમયગાળો કેન્દ્ર સરકારે નક્કી કરવો જોઈએ. અગાઉ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તે એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના નિર્ણયને ફરીથી ખોલશે નહીં કારણ કે તે રાજયોને નક્કી કરવાનું છે કે તેઓ તેનો અમલ કેવી રીતે કરે છે.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે એટર્ની જનરલ કે.કે વેણુગોપાલ, એડિશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહ અને વિવિધ રાજયો તરફથી હાજર રહેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષકારોને સાંભળ્યાં. બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર ગવઈ પણ સામેલ છે. બેંચે ૨૬ ઓકટોબર ૨૦૨૧ નાં રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

નિર્ણય અનામત રાખતા કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ માત્ર એ મુદ્દા પર નિર્ણય લેશે કે શું અનામત ગુણોત્ત્।ર પર્યાપ્ત પ્રતિનિધિત્વ પર આધારિત હોવી જોઈએ કે નહીં. કેન્દ્રએ બેન્ચને કહ્યું હતું કે, એ વાત સાચી છે કે દેશની આઝાદીના ૭૫ વર્ષ પછી પણ એસસી/એસટી સમુદાયનાં લોકોને આગળના વર્ગની જેમ બુદ્ઘિમત્તાના સ્તરે લાવવામાં આવ્યાં નથી. વેણુગોપાલે દલીલ કરી હતી કે, એસસી અને એસટી સમુદાયનાં લોકો માટે ગ્રુપ શ્નખ્લૃ કેટેગરીની નોકરીઓમાં ઉચ્ચ પદ મેળવવું વધુ મુશ્કેલ છે અને સમય આવી ગયો છે કે સર્વોચ્ચ અદાલતને ખાલી જગ્યાઓ ભરવા માટે કહેવામાં આવે. કેટલાંક નક્કર પાયાએ બ્ગ્ઘ્ (અન્ય પછાત વર્ગો) માટે આપવામાં આવશે.

(12:16 pm IST)