Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સરહદે છમકલા કરનારા પાકિસ્તાનને માત્ર 10 દિવસમાં ભારતીય સેના પરાસ્ત કરી શકે : પીએમ મોદીનો લલકાર

ભારત સામે ષડયંત્રો કરવાનું દુશ્મનોને ભારે પડશે

નવી દિલ્હીઃ નેશનલ કેડેટ કોપ્સની એક રેલીમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે, કહ્યું કે વારંવાર ભારત સામે છમકલા કરનારા પાકિસ્તાનને માત્ર 10 દિવસમાં ભારતીય સેના પરાસ્ત કરી શકે છે, ભારત સામે ષડયંત્રો કરવાનું દુશ્મનોને ભારે પડશે.

  તેમને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા કે માત્ર રાજનીતિક ફાયદા માટે જ અત્યાર સુધી કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ન હતી, અમારી સરકારે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો પણ સફાયો કરી દીધો છે. જે પાકિસ્તાનમાંથી આવતા હતા.

  મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો નાગરિકતા કાયદાનો વોટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કરી રહ્યાં છીએ, પાડોશી દેશોનાં હિન્દુ લઘુમત્તીઓને શરણાગતિ આપવી આપણી જવાબદારી છે, તેમના પર ત્યાં અત્યાચાર થયા છે માટે જ તેઓ ભારત આવ્યાં છે, મોદીએ રાફેલ ફાઇટર પ્લેનની વાત કરીને પાકિસ્તાન જેવા દુશ્મનોને ચેતવણી આપી, સાથે જ જે તે વખતે શિખોનું પવિત્ર સ્થળ કરતારપુર સાહિબ ભારતને ન મળ્યું તે વાત મામેલ પણ દુખ વ્યક્ત કર્યું હતુ.

(9:07 pm IST)