Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સરકાર અને ભાજપે છૂટ આપતા દિલ્હીમાં નેતાઓ બેફામ : લોકતંત્ર માટે ચિંતાજનક : કપિલ સિમ્બલ

તેમની સામે પોલીસ તંત્ર, સરકાર અને ગૃહપ્રધાન પણ પગલા લેતા નથી

નવી દિલ્હી : ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ આપેલા નિવેદન પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આક્ષેપ લગાવ્યો છે, સરકાર અને ભાજપ તરફથી છૂટ આપવામાં આવી છે. એટલે જ ભાજપના નેતાઓ બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે અને તેમની સામે પોલીસ તંત્ર, સરકાર અને ગૃહપ્રધાન પણ પગલા લેતા નથી.જે લોક તંત્ર માટે ચિંતાજનક છે.

   દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સીએએ વિરુદ્ધ શાહીનબાગમાં ચાલતુ આંદોલન મુખ્ય મુદ્દો બની ગયુ છે.તેવામાં ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ એલાન કર્યુ છે કે, 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપ સરકાર બનતા એક જ કલાકમાં શાહીનબાગને ખાલી કરાવી દઈશું.

(2:01 pm IST)