Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દેશના ગદ્દારોને ગોળી મારો ' નિવેદનના ઘેરા પડઘા: વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી

 

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ દિલ્હીમાં એક ચૂંટણી રેલી દરમ્યાન મંચ પરથી દેશનાં ગદ્દારોને ગોળી મારવાનાં સૂત્રોચ્ચાર કર્યા હતા વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે પોતાનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનુરાગ ઠાકુરનો વિડિયો પોસ્ટ કરીને તેમનાં પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રશાંત ભૂષણએ જણાવ્યું કે લોકોને ઉશ્કેરવા માટે તેમને જેલની સજા થાય તે જરૂરી છે. થયું છત્તાં તે(અનુરાગ ઠાકુર) મંત્રી મંડળમાં છે.

(8:54 am IST)