Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દિલ્હીના દંગલમાં નેતાઓ બેફામ :કેન્દ્રીય મંત્રીએ 'દેશના ગદ્દારોને મારો ગોળી' ના સૂત્રોચાર કરાવ્યા

મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે કમળનું બટન દબાવ્યા પછી જ આ ગદ્દારો મરશે.

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા અનુરાગ ઠાકુર પોતાનાં નિવેદનનાં કારણે વિવાદોમાં આવી ગયા છે. તેમણે સોમવારે દિલ્હીમાં એક ચૂંટણી રેલી દરમ્યાન મંચ પરથી દેશનાં ગદ્દારોને ગોળી મારવાનાં સૂત્રોચ્ચાર કર્યા હતા

   ભાજપનાં સાંસદે કહ્યું કે દેશનાં ગદ્દારોને ગોળી મારો.. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગદ્દારોને ભગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કરવો જરૂરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતની અસ્મિતાને બચાવવાનો મદ્દો જણાવ્યો હતો. ત્યારે મચ પર હાજર અન્ય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે કમળનું બટન દબાવ્યા પછી ગદ્દારો મરશે.

(10:43 pm IST)