Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એપ્રિલથી ફ્લાઈટની મુસાફરી થશે મોંઘી સરકાર કરશે ટીકિટોના ભાવમાં વધારો

એરપોર્ટ સંશોધક ચાર્જમાં 4 ટકાનો વધારો થઈ શકે

નવી દિલ્હી : દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ હશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વર્ષ 2024-25 સુધીમાં તેમાં 4 ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે.

એરપોર્ટ નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ વસુલ કરે છે. ફ્લાઈટ મુસાફરો પાસેથી આ ચાર્જ પ્રતિ ફ્લાઈટના આધારે લેવામાં આવે છે. મંત્રલાયે આ પ્રસ્તાલ પર અંતિમ નિર્ણય માટે આગામી અઠવાડીયામાં એક બેઠક પર યોજી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

(12:00 am IST)