Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વડાપ્રધાન મોદી સાથે ગુજરાતના ડેરી ક્ષેત્રના ધુરંધરોની મુલાકાત

રાજકોટ : ઉત્તરપ્રદેશના વારાણસીમાં ૩ દિવસ પહેલા બનાસ ડેરીના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતની સહકારી ડેરીઓના ચેરમેનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ગુજરાતના ડેરી ઉદ્યોગ અને પશુપાલનની ચર્ચા કરી તે ક્ષેત્રમાં વધુ સારૂ કાર્ય કરવા માર્ગદર્શન આપેલ. રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા સાથેની વાતચીત વખતે તેમણે ભૂતકાળના રાજકોટ જિલ્લાના રાજકારણના સંભારણા વાગોળ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શ્રી મોદીજી અને શ્રી યોગીજી સાથે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા, અમૂલ ફેડરેશનના ચેરમેન શામળાભાઇ પટેલ, વાઇસ ચેરમેન, વાલમજીભાઇ હુંબલ, મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી વગેરે ઉપસ્થિત છે.

(11:46 am IST)