Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સન્માનની પરિભાષા ભાજપની નીતિમાં નથી :ભાજપના લોકો આનંદીબેનને પરેશાન કરે છે :રણદીપ સુરજેવાલા

કોંગ્રેસ નેતા રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા છે. સુરજેવાલાએ જણાવ્યું કે સન્માનની પરિભાષા ભાજપની નીતિમાં છે નહીં. ભાજપના લોકો આનંદીબહેન પટેલેને પણ પરેશાન કરી રહ્યા છે. આનંદીબહેનને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર દરમિયાન જણાવ્યું કે રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી બન્યા ત્યારે કોંગ્રેસે કાવાદાવા કરીને તેમને ખુરશીમાંથી દૂર કરી નાંખ્યા છે. મોદીએ બાબુ જશાભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબહેન પટેલનું ઉદાહરણ આપ્યું હતું, મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ભાજપે આનંદીબહેન પટેલને ઈન્યાય કર્યો. આનંદીબહેનને સતત પરેશાન ભાજપમાં કરવામાં આવી રહ્યા છે.

(10:59 pm IST)