Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

‘‘શ્રી જોગી સ્‍વામી SGVP હોલિસ્‍ટિક હોસ્‍પિટલ'' : યોગ, આયુર્વેદ, તથા એલોપથીના પવિત્ર સમન્‍વયરૂપ હોસ્‍પિટલનું ૩ ડિસેં. રવિવારે લોકાર્પણ : અમદાવાદ મુકામે ખુલ્લી મુકાનારી હોસ્‍પિટલના ઉદધાટક તરીકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા અધ્‍યક્ષ તરીકે પ.પૂ. ગુરૂવર્ય શ્રી માધવપ્રિય દાસજી સ્‍વામી હાજરી આપશે : સંતો, મહંતો, ડોકટરો, વૈદ્યો તથા સમાજ શ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતિમાં યોજાનારા લોકાર્પણ સમારોહમાં તમામને સપરિવાર પધારવા પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્‍ઠાનના ઉપક્રમે આગામી ૩ ડીસે. ૨૦૧૭ રવિવારના રોજ ‘‘શ્રી જોગી સ્‍વામીજી એસજીવીપી હોલિસ્‍ટીક હોસ્‍પીટલનો લોકાર્પણ સમારોહ યોજાશે.

સાંજે ૪ કલાકે શરૂ થનારા સમારોહના ઉદધાટક તરીકે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા અધ્‍યક્ષ તરીકે પ.પૂ. ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી ઉપસ્‍થિત રહેશે.

યોગ, આયુર્વેદ, તથા એલોપથીના પવિત્ર સમન્‍વયરૂપ આ હોસ્‍પિટલનો લોકપર્ણ સમારોહ સરખેજ ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ (૦૨૭૧૭)૨૪૨૧૪૧, ૯૮૨૫૨ ૧૦૦૩૮) મુકામે યોજાશે.

ઈષ્‍ટદેવ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ તથા પ.પૂ. ગુરૂદેવ શાસ્‍ત્રીજી મહારાજ તથા શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ આરંભેલા ‘‘સર્વજીવહિતાવહ'' સેવાપરીના ભાગરૂપે SGVP દ્વારા પ.પૂ. શ્રી જોગી સ્‍વામીની પવિત્ર સ્‍મૃતિમાં નિર્માણ પામેલ શ્રી જોગી સ્‍વામી SGVP હોલિસ્‍ટીક હોસ્‍પિટલના લોકાર્પણ સમારોહમાં સંતો, મહંતો, નામાંકિત ડોકટરશ્રીઓ, વૈદ્યરાજો, સમાજીક અગ્રણીઓ તથા સમાજના શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે સહુને સપરિવાર પધારવા પૂરાણી બાલકૃષ્‍ણ દાસજીએ પ્રેમપૂર્વક આમંત્રણ પાઠવ્‍યું છે.

સમારોહમાં પ.પૂ. સદગુરૂ પુરાણી શ્રી ભક્‍તિપ્રકાશદાસજી સ્‍વામી મંગલ આશિર્વાદ વરસાવશે. હોસ્‍પિટલના મુખ્‍ય દાતા તરીકે ગં.સ્‍વ. રતનબેન કેશવલાલ પ્રેમજી ભૂડિયા પરિવાર,મોમ્‍બાસા કેન્‍યા છે. આ પ્રસંગે  ગોસ્‍વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ, અમરેલી, પરમ પૂજ્‍ય શ્રી દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિર-અમદાવાદ, પરમ પૂજ્‍ય શ્રી પરમાત્‍માનંદજી મહારાજ (મહામંત્રી શ્રી હિન્‍દુ ધર્મ આચાર્ય સભા) રાજકોટ, પરમ પૂજ્‍ય શ્રી અવિચલદાસજી મહારાજ, સારસા, પરમ પૂજ્‍યશ્રી દેવપ્રસાદજી મહારાજ (આણદાબાવા આશ્રમ) જામનગર, પરમ પૂજ્‍ય આચાર્ય શ્રી કૃષ્‍ણમણિજી મહારાજ, જામનગર ,પરમ પૂજ્‍ય શ્રી શંભુનાથજી મહારાજ, ઝાંરઝરકાપીઠ,પરમ પૂજ્‍ય શ્રી અધ્‍યાત્‍માનંદજી મહારાજ શિવાનંદ આશ્રમ, અમદાવાદ, પરમ પૂજ્‍ય શ્રી લલીતકિશોરજી મહારાજ, નિમ્‍બાર્કપીઠ- લીંમડી, પરમ પૂજ્‍ય શ્રી કનીરામ મહારાજ ,દૂધરેજ, પરમ પૂજ્‍ય ભરતબાપુ, લાલગેબી આશ્રમ-હાથીજણ, પરમ પૂજ્‍ય શિવરામ સાહેબ, કબીર આશ્રમ-મોરબી, પરમ પૂજ્‍ય ચૈતન્‍યશંભુ માહારાજ, અમદાવાદ, પરમ પૂજ્‍ય ભાગવતઋષિજી, ભાગવત વિદ્યાપીઠ- સોલા, સહિતના સંતોની મંગલ ઉપસ્‍થિતિ જોવા મળશે.તેમજ સમગ્ર ભારતમાં વ્‍યાપ્તથી સંતો પધારશે.

ખાસ નોંધ તરીકે જણાવવાનું કે પ્રધાનમંત્રીની સિક્‍યુીટીના પ્રોટોકોલ મુજબ દરેકે ૪ વાગ્‍યા સુધીમાં સભાસ્‍થળે પોતાનું સ્‍થાન લઈ લેવું સમારોહમાં પધારનારા તમામ સંતો મહાનુભાવોએ પોતાનું ઓળખપત્ર તથા આમંત્રણ પત્રિકા અચૂક સાથે લાવવા.

SGVP હોલિસ્‍ટીક હોસ્‍પિટલના લોકાપર્ણ સમારોહનું આસ્‍થા તથા સદવિદ્યા તથા swamunarayangurukul.org ઉપર કરાશે.

વિશેષ માહિતિ માટે કોન્‍ટેક નં. ૯૫૧૨૨ ૦૦૧૨૨, અથવા hospital@sgvp.org અથવા www.sgvpholistichospital.org દ્વારા સંપર્ક સાધવા SGVP ગુરૂકૂળ પરિવારની યાદીમાં જણાવાયું છે.

(8:49 pm IST)