Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

જસદણમાં નરેન્દ્રભાઇની સભામાં ખુરશીઓ ખાલીઃ ૮ થી ૧૦ હજાર લોકો માંડ આવ્યા

જસદણ તા.ર૭ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે જસદણ ખાતે જાહેર સભા યોજાઇ હતી. જેમાં માત્ર ૮ થી ૧૦ હજાર લોકો જ ઉપસ્થિત રહેતા અનેક ખુરશીઓ ખાલી રહી હતી. નરેન્દ્રભાઇ મોદી પણ એકાદ કલાક મોડા આવતા કાર્યક્રમ સ્થળે લોકો તડકે સેકાયા હતા.

ખુરશીઓ ખાલી રહેતા ભાજપના ઉમેદવાર ડો.ભરતભાઇ બોઘરા સહિત ભાજપના આગેવાનો દ્વારા લોકોને ફોન કરીને બોલાવવા પડયા હતા. આ માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોને પણ કામે લગાડવામાં આવ્યા હતા. સભા સ્થળે બપોરે ૧ર વાગ્યે પાંખી હાજરી જોવા મળી હતી.

(3:59 pm IST)