Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કુલ મૃત્યુઆંક ૪,૫૫,૬૫૩

કોવિડથી મોતનો આંકડો વધ્યો : ૨૪ કલાકમાં

૧૩૪૫૧ નવા કેસ : ૫૮૫ દર્દીઓના મોત

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯નાં ૧૩,૪૫૧ નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૪૨,૧૫,૬૫૩ થઈ ગઈ છે. વળી, સંક્રમણનાં કારણે વધુ ૫૮૫ લોકોના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને ૪,૫૫,૬૫૩ થઈ ગયો છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા ગત વર્ષે ૭ ઓગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ ૧૬ સપ્ટેમ્બરનાં રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરનાં રોજ ૬૦ લાખ, ૧૧ ઓકટોબરનાં રોજ ૭૦ લાખ, ૨૯ ઓકટોબરનાં રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરનાં રોજ ૯૦ લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ ૧૯ ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા હતા, આ વર્ષે ૪ મેનાં રોજ બે કરોડને વટાવી ગયા હતા અને ૨૩ જૂને ત્રણ કરોડને વટાવી ગયા હતા.

(2:56 pm IST)