Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હુમલાથી એક જવાન શહીદ થયો છતાં લોકો કહે છે પથ્થરબાજોને આતંકી ન સમજવા:આર્મી ચીફ

નવી દિલ્હી :ગુરૂવારે BROના કાફલાને સુરક્ષા આપી રહેલાં જવાન રાજેન્દ્ર સિંહ કાફલા સાથે NH 44ની પાસે અનંતનાગ બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પથ્થરબાજી થતા જવાનનું મોત નિપજ્યુ હતુ. જેને લઈ આર્મી ચીફ બિપિન રાવતે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યુ કે, પથ્થરબાજોના હુમલાથી એક જવાન શહીદ થઈ ગયો તો પણ લોકો કહે છે કે પથ્થરબાજોને આતંકી ન સમજવા.

(11:01 pm IST)