Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણમાં CRPFનાં 4 જવાન શહીદ: બે ઘાયલ

બાસાગુડા થાના ક્ષેત્રનાં મુર્દોણ્ડા વિસ્તારમાં સીઆરપીએફની બટાલિયન પર હુમલો

છત્તીસગઢનાં બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ સીઆરપીએફની બટાલિયન પર હુમલો કરી દીધો છે. સમાચાર એજન્સીનાં જણાવ્યા અનુસાર, આ હુમલામાં ચાર સીઆરપીએફ જવાન શહીદ થયાં છે. જ્યારે બે જવાન ઘાયલ જણાવવામાં આવી રહ્યાં છે.

જાણકારી અનુસાર, ઘણાં સમયથી આ અથડામણ ચાલી રહી હતી. તમને જણાવી દઇએ કે બીજાપુર નક્સલથી પ્રભાવિત વિસ્તાર માનવામાં આવી રહેલ છે. નક્સલીઓએ ઘાત લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો કે જ્યારે સીઆરપીએફનાં જવાન એરિયા ડોમિનેશનને માટે નિકળ્યાં હતાં.

આ ઘટના બાસાગુડા થાના ક્ષેત્રનાં મુર્દોણ્ડા વિસ્તારમાં થઇ છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી પણ યોજાનારી છે. જેને ધ્યાને રાખતા વર્તમાન સમયમાં 5000થી પણ વધારે જવાન ત્યાં હાજર છે.

(10:34 pm IST)