Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ મામલો :હિંસા ભડકાવવાના આરોપમાં 210 લોકોને નોટિસ ફટકારાઇ

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે જે રીતે સુપ્રીમકોર્ટે નિર્ણય આપ્યો હતો અને ત્યારપછી મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં પણ લોકોએ રસ્તા પર પ્રદર્શન કર્યું. ઘણી જગ્યા પર પ્રદર્શન હિંસામાં બદલાઈ ગયું. પ્રદર્શન અને હિંસાને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું હતું, તેમ છતાં પણ હિંસા રોકાઈ નહીં.તેવામાં હિંસા ભડકાવાના મામલે 210 લોકોને નોટિસ ફટકારાઇ હોવાનું જાણવા મળે છે 

(9:09 pm IST)