Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ફાર્મા કંપનીઓ દ્વારા પ્રમાણીત ન હોય તેવી વજન ઘટાડવાની દવામાં ભેળસેળ હોવાનું ખુલ્યુ

નવી દિલ્હીઃ વજવ ઘટાડવાની, સેક્સ પાવર વધારવાની અને મસલ્સ બનાવવા માટે કોઈ દવાઓનો ઉપયોગ કરતા હો તો સાવધાન રહેજો. ઘણા બધા ડાયેટ સપ્લિમેન્ટમાં ભેળસેળ કરીને પ્રતિબંધીત દવાઓ ભારતમાં સરળતાથી પ્રાપ્ય બની રહી છે. ભેળસેળ કરેલી દવાઓ ફાર્મા કંપનીઓ પ્રમાણિત હોતી નથી ઉપરાંત તેના કેટલાક ઈનગ્રેડિયન્સને અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. દવાઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી દવાઓ અંગેનો એક અહેવાલ તાજેતરમાં પ્રકાશિત થયો હતો.

776 જેટલા ડાયેટરી સપ્લિમેન્ટનું બેફામ વેંચાણ

આશરે 776 જેટલા ડાયેટરી સપ્લિમેન્ટ સમગ્ર અમેરિકામાં વેંચાઈ રહ્યા છે. વર્ષ 2007 થી 2016 સુધીમાં ફાર્મા વિભાગ દ્વારા અપ્રમાણિક કેટલીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પ્રકારના ઈનગ્રેડિયન્સમાં સિલ્ડેનાફિલ્ડ, સિબ્યુટ્રામાઈન અને સિન્થેટિક સ્ટિરોઈડનો સમાવેશ થાય છે. જેની આડ અસરને કારણે શરીરની કીડની નકામી થવાનું, હ્દયરોગ તથા મૃત્યું થવાનું પણ જોખમ રહેલું છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને કરેલા એક વિશ્લેષણમાંથી વાત જાણવા મળી હતી. આવી દવાઓ માર્કેટમાં સામાન્ય રીતે સેક્સ પાવર વધારવાના નામથી, વજન ઊતારવાની દવાઓ તથા મસલ્સ બનાવવાની દવાઓના નામથી ભેળસેળ થઈને વેંચાઈ રહી છે.

સરળતાથી પ્રાપ્ય છે પ્રકારની દવાઓ

ભારતીય તબીબોએ જણાવ્યું હતું કે, પ્રકારની દવાઓ ભારતમાં સરળતાથી અને મોટી માત્રામાં મળી રહે છે. એક સૌથી મોટી સમસ્યા છે. માટેની કોઈ ગાઈડલાઈન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન પણ હોતું નથી. જ્યારે અમેરિકાની ઓથોરિટીએ જણાવ્યું હતું કે, જે જથ્થો માર્કેટમાં છે તેની તપાસ કરાવવામાં આવે છે. ડૉ. અનુપ મિશ્રાએ સ્પષ્ટતા કરી છે કે, મુદ્દાએ ભારતમાં પણ સમસ્યાઓ ઊભી કરી દીધી છે, ભારતમાં પ્રકારના ડાયેટરી સપ્લિમેન્ટને કોઈ પ્રકારે ટેસ્ટ કરવામાં આવતું નથી.

નમૂનાઓનું કોઇ પ્રકારે પરિક્ષણ થતું નથી

ઉપરાંત પ્રકારના ડાયેટ સપ્લિમેન્ટના સેમ્પલનું પણ કોઈ પ્રકારે ટેસ્ટિંગ થતુ નથી. પ્રકારના દવાઓ તથા પાઉડરનો જથ્થો વધતો જાય છે. ભારતમાં મળતા ડાયેટરી સપ્લિમેન્ટમાં ન્યુટ્રાસિટીકલ, ચોક્કસ પ્રકારનું ફૂડ અને મેડિકલના હેતું માટે ઉપયોગમાં લેવાના ખોરાકનું મિશ્રણ હોય છે. ભેળસેળના ઉદ્યોગનો કુલ નફો વર્ષ 2015 સુધીમાં 10 બિલિયન ડૉલર સુધી થવાનો અંદાજ છે. બદલતી જતી જીવનશૈલીને ધ્યાને લઈને સપ્લિમેન્ટ લેનારા લોકો વધતા ડાયેટરી પ્લાનની માગ વધતી જાય છે.

કોઈ ગાઈડલાઈન નથી

કોઈ પ્રકારની ગાઈડલાઈન કે ચોક્કસ માર્ગદર્શન હોવાને કારણે તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તેથી ગ્રાહકો માટે પણ તે વિના રોક-ટોકથી મળી રહી છે. ભારતના FSSI વાત ધ્યાને લીધી છે અને દેશમાં બનતા આવા કેસની ગંભીર નોંધ લીધી છે. ડૉ. મિશ્રા જણાવે છે કે ડાયેટરી પ્લાનના નમૂનાઓ, ટેસ્ટ, ગુણવત્તા અને સુરક્ષાના માપદંડની ચકાસણીના અભાવને કારણે ઉદ્યોગ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. તમામ વસ્તુઓ fssiના કાર્યક્ષેત્રમાં આવતી બાબત છે.

મોટાભાગના ઈનગ્રેડિયન્સ અપ્રમાણિત

એક રિપોર્ટના આધારે 20 ટકા ભેળસેળ થયેલા ડાયેટ સપ્લિમેન્ટમાં એકથી વધારે ફાર્મા વિભાગે અપ્રમાણિત કરેલા ઈનગ્રેડિયન્સ હોય છે. જે શરીરને ટૂંક સમયમાં અને સૌથી વધુ નુકસાન કરવા માટે જવાબદાર હોય છે. તેના ટેસ્ટ અને ફ્લેવરને કારણે ઘણી વખત વધુ પડતા ઉપયોગથી પણ ભારે નુકસાન થાય છે.

(5:04 pm IST)