Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કથાકાર સાધ્વી પર અનુયાયીએ જ ઘેનની દવા પીવડાવી ગુજાર્યો બળાત્કાર

હવસખોર અનુયાયીએ સાધ્વીને પિસ્તોલ બતાવી આ અંગે કોઈને કશુંય ન કહેવા પણ ધમકાવ્યાં

ભોપાલ, તા.૨૭: બળાત્કારની એક અત્યંત ધૃણાસ્પદ ઘટનામાં ૪૦ વર્ષના સાધ્વીને તેમના જ અનુયાયીએ પોતાની હવસનો ભોગ બનાવ્યાં છે. કથાકાર એવા આ સાધ્વીને અનુયાયીએ કથિત રીતે દ્યેનની દવા આપી દઈ તેમના પર દુષ્કૃત્ય આચર્યું છે. એટલું જ નહીં, હવસખોર અનુયાયીએ સાધ્વીને પિસ્તોલ બતાવી આ અંગે કોઈને કશુંય ન કહેવા પણ ધમકાવ્યાં હતાં.

આ ઘટનાથી હતપ્રત થઈ ગયેલા સાધ્વી મેરઠમાં આવેલા પોતાના ગુરુના આશ્રમે પહોંચ્યા હતા, અને ડરના માર્યા તેમણે ત્યાં જ રહેવાનું શરુ કરી દીધું હતું. ગુરુની સલાહ પર તેઓ ભોપાલ પરત ફર્યા હતા, અને પોલીસ સ્ટેશને જઈને પોતાના પર રેપ કરનારા શિષ્ય વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી સાધ્વીના શિષ્યનો અતોપતો મેળવવાની પ્રક્રિયા શરુ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સાધ્વી પોતાના બે વિશ્વાસુઓ સાથે ભોપાલના પોશ વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેતા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી જયપાલસિંહ રાજપૂતને તેઓ બે વર્ષથી ઓળખતાં હતાં. તેઓ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ગયાં હતાં, ત્યાં તેમની જયપાલ સાથે મુલાકાત થઈ હતી.

આરોપી જયપાલ સાધ્વીને દીદી કહીને બોલાવતો હતો, અને તેમને આશ્રમથી કથાનો કાર્યક્રમ હોય તેવા જુદા-જુદા સ્થળો પર લઈ જતો હતો. આમ કરીને તેમણે સાધ્વીનો વિશ્વાસ કેળવી લીધો હતો. જયપાલ ૨૨ જુલાઈએ સાધ્વીના આશ્રમ આવ્યો હતો, અને તેમને પોતાના માટે ચા બનાવવા કહ્યું હતું. બે કપ ચા લઈને આવેલા સાધ્વી બિસ્કિટ લેવા અંદર ગયા તે જ વખતે જયપાલે ચામાં ઘેનની દવા નાખી દીધી હતી.

ઘેનની દવા નાખેલી ચા પીતા જ સાધ્વી બેહોશ થઈ ગયાં હતાં, જેનો લાભ લઈ જયપાલે તેમના પર રેપ કર્યો હતો, અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જયારે સાધ્વીને ભાન આવ્યું ત્યારે તેમને અહેસાસ થયો હતો કે તેમની સાથે ન થવાનું થઈ ચૂકયું છે. તેમણે જયપાલને ફોન કર્યો, પરંતુ જયપાલે તેમને મારી નાખવાની ધમકી આપી, અને આશ્રમ પણ ખાલી કરવા જણાવ્યું.

૩ ઓગસ્ટના રોજ સાધ્વી પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે તેવી ખબર પડતા જયપાલ રિવોલ્વર લઈને આશ્રમે આવ્યો હતો, અને સાધ્વીને મારી નાખવાની ધમકી આપી હતી. આ દ્યટનાથી ડરી ગયેલાં સાધ્વી મેરઠમાં આવેલા પોતાના ગુરુના આશ્રમમાં રહેવા જતાં રહ્યાં હતાં. આખરે ગુરુની સલાહ પર તેઓ પરત આવ્યાં હતાં, અને બળાત્કારી સામે ફરિયાદ નોંધાવી હતી.(૨૩.૧૭)

(3:29 pm IST)